Mobile Accessories Sahay Yojana Gujarat: મોબાઈલ એસેસરીઝનો બિઝનેસ કરવા માટે ગુજરાત સરકાર આપી રહી છે રૂ 50,000 ની સહાય, આજે જ કરો અરજી

Mobile Accessories Sahay Yojana Gujarat: ઘણા બધા લોકોનું નાનો પણ પોતાનો ધંધો હોય એવું સપનું હોય છે. પરંતુ પૈસાના અભાવના કારણે લોકો પોતાનો વ્યાપાર શરુ કરી શકતા નથી. શું તમે પણ પોતાનો બિઝનેસ કરવા માંગો છો તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત સરકાર મોબાઈલ સંબંધિત વસ્તુઓના વ્યાપાર માટે રૂપિયા 50,000 ની સહાય આપી રહી છે. આ યોજનાનો લાભ કઈ રીતે લેવો તથા આ યોજનામાં કઈ રીતે અરજી કરવી તેની સંપૂર્ણ માહિતી તમને આજના આ લેખમાં ખુબજ સરળ ભાષામાં જાણવા મળશે.

Mobile Accessories Sahay Yojana Gujarat । મોબાઈલ એસેસરીઝ સહાય યોજના

યોજનાનું નામમોબાઈલ એસેસરીઝ સહાય યોજના
યોજના અંતર્ગતસ્વરોજગારી યોજના
વર્ષ 2024
સહાયની રકમરૂપિયા 50,000 સુધી
સહાય આપનારગુજરાત સરકાર
અરજીનું માધ્યમઓફલાઈન

યોજનાનો હેતુ:

આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા લોકો કે જેમને બેંક દ્વારા લોન લેવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે અને તેઓ વધુ પડતા વ્યાજ દરો ચૂકવી શકતા નથી તેવા દરેક લોકોને આર્થિક રીતે આત્મનિર્ભર કરવાનો છે.

આ યોજનાનો લાભ કોણ લઇ શકે છે?

  • આ યોજનાનો લાભ લેનાર વ્યક્તિ આદિજાતિનો હોવો જોઈએ (આદિજાતિ સિવાયના વ્યક્તિઓ પણ આ યોજનામાં અરજી કરી શકે છે.)
  • અરજી કરનાર વ્યક્તિની ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ અને 55 વર્ષથી વધુ નહોવી જોઈએ.
  • અરજી કરનાર વ્યક્તિ ગ્રામ્ય વિસ્તારનો રહેવાસી હોય તો વાર્ષિક આવક રૂપિયા 1,20,000 થી વધુ ન હોવી જોઈએ તથા શહેરી વિસ્તા નો રહેવાસી હોય તો વાર્ષિક આવક રૂપિયા 1,50,000 થી વધુ ન હોવી જોઈએ
  • અરજદારને મોબાઈલ એસેસરીઝ સંબંધિત કામનો અનુભવ અથવા તાલીમ લીધી હોવી જોઈએ.

સહાયની રકમ:

સ્વરોજગારી યોજના મોબાઈલ એસેસરીઝના હેતુ અનુસાર આ યોજનામાં ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 50,000 ની સહાય આપવામાં આવે છે.

મોબાઈલ અસેસરીઝમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે?

આ સહાય લઈને તમે નીચે મુજબની વસ્તુઓનો બિઝનેસ કરી શકો છો.

  • મોબાઈલ કવર
  • મોબાઈલ ગ્લાસ
  • ઈયરફોન
  • ચાર્જર
  • યુએસબી કેબલ
  • ઓટીજી કેબલ
  • પાવરબેન્ક
  • મેમરીકાર્ડ
  • મોબાઈલ બેટરી
  • સીમકાર્ડ
  • તથા અન્ય

જરૂરી ડોક્યુમેન્ટ

સ્વરોજગારી યોજના મોબાઈલ એસેસરીઝ સહાયની આ યોજનામાં લાભ લેવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે.

  • આધારકાર્ડ/પાનકાર્ડ/ચૂંટણીકાર્ડ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • અનુભવનું અથવા તાલીમનું પ્રમાણપત્ર
  • તથા અન્ય

સહાયની રકમ પરત કરવાનો સમયગાળો:

આ યોજનાનો લાભ મેળવ્યા બાદ તમે સરળ 20 ત્રિમાસિક હપ્તા દ્વારા સહાયની રકમની ભરપાઈ કરી શકો છો. જો તમે નિયત સમય પહલે સંપૂર્ણ રકમ પરત કરવા માંગો છો તો પણ કરી શકો છો.

વ્યાજનો દર

આ સહાય યોજનામાં વ્યાજનો દર 4 ટકા રહેશે. જો કોઈ અરજદાર હપ્તા ભરવામાં વિલંબ કરશે તો તેના ઉપર બીજા 2 ટકા દંડનીય વ્યાજ લેવામાં આવશે.

અરજી ફોર્મ ક્યાંથી મેળવવાનું રહેશે?

આ યોજનામાં અરજી ફોર્મ તમે પ્રયોજના વહીવટીદારશ્રીની કચેરી અથવા https://adijatinigam.gujarat.gov.in/ પરથી મેળવી શકો છો.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

આ યોજનામાં તમારે ઓફલાઈન માધ્યમથી કરવાની રહેશે. આદિજાતિના વિસ્તારના વ્યક્તિએ જે તે વિસ્તારના પ્રાયોજના વહીટદારશ્રીની ભલામણથી અરજી મોકલવાની રહેશે. જયારે બિન આદિજાતિના વ્યક્તિએ મદદનીશ કશ્નરશ્રી આદિજાતિ ધ્વારા અરજી કોર્પોરેશનને મોકલવાની રહેશે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા આપવામાં આવેલ માહતીમાં ફેરફાર પણ હોઈ શકે છે. જેથી આ યોજનામાં અરજી કરતા પહેલા યોજનાની તમામ માહિતી વિભાગનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી.

Leave a Comment